Skip to main content

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી. દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

બ્રેઇલ લિપિના જનક લુઈ બ્રેઇલ |Louis Braille, inventor of Braille

 

Image courtesy: Britannica 

બ્રેઇલ લિપિના જનક લુઈ બ્રેઇલ |Louis Braille, inventor of Braille

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જોઈ શકતી ન હોવા છતાં આંગળીનાં ટેરવાં, એક ચોક્કસ પ્રકારની ઉપસાવેલી લિપિ પર ફેરવી એકદમ સામાન્ય માનવીની જેમ જ બધું વાંચી શકતો હોય છે. આ લિપિ એટલે બ્રેઇલ લિપિ. તેનો આવિષ્કાર કરનાર લુઇ બ્રેઇલ પોતે અંધ હતા.

મધ્યમવર્ગીય પરિવારમાં ૧૮૦૯માં ફ્રાન્સમાં જન્મેલા લુઇ ફક્ત ત્રણ વર્ષના હતા ત્યારે એક અકસ્માતમાં દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. હજુ દુનિયા સમજવાની ઉંમરની શરૂઆત થાય એ પહેલાં જ દૃષ્ટિ ગુમાવનાર લુઈ માટે બેશક અઘરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ લુઇએ સહજતાથી આ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો. એ જમાનામાં બ્રેઈલ લિપિ બની નહોતી. તેથી લોકોની મદદ અને લાકડીનો સહારો લેવા સિવાય એમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો, પરંતુ આ તો લુઈ હતા. બ્લાઈન્ડ હોવા છતાં પોતાની તેજસ્વિતાનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું. પરિણામે ત્યાંના ચર્ચના પાદરીએ પેરિસની એક અંધશાળામાં તેને દાખલ કરાવી દીધો. લુઈને તો દોડવું હતું ને ઢાળ મળ્યો. ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો પર તેની જબરી પકડ હતી. ભણતરમાં અવ્વલ લુઇની સમય જતાં એ જ વિદ્યાલયમાં અધ્યાપક તરીકે નિયુક્તિ કરવામાં આવી.

હવે લુઈને દ્રષ્ટિહીન લોકોનું જગત બદલવું હતું. અથાક પરિશ્રમ અને ઊંડાં સંશોધનના અંતે પ્રખર બુદ્ધિમાન લુઈએ લિપિનું સર્જન કર્યું. જેમાં ફક્ત અક્ષરો કે અંકો જ નહીં, તમામ ચિહ્નોનો પણ સમાવેશ કર્યો હતો. આ લિપિ જગત આખામાં બ્રેઇલ લિપિ તરીકે ઓળખાય છે. જેણે પ્રજ્ઞાચક્ષુઓનાં જીવનમાં નવી ક્ષિતિજોનું સર્જન કર્યું છે.

Comments

Popular posts from this blog

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

   Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પં...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news

       Navsari,gandevi,bilimora,Jalalpor,chikhli, khergam,vansda, Ahwa, dang, Saputara, vaghai,subir,valsad, pardi, vapi, Umargam,dharampur,kaparada, latest educational, sports and social welfare news